Rashi fal 22/9/19

*આઠમનું શ્રાદ્ધ* ભાદ્રપદ કૃષ્ણ આઠમ ( 19:50 ), નોમ 22/09/2019 ચંદ્રરાશિ :- મિથુન નક્ષત્ર :- મૃગશીર્ષ ( 11:46 ), આર્દ્રા યોગ :- વ્યતિપાત ( 20:25 ), વરીયાન કરણ :- બાલવ ( 08:11 ), કૌલવ મેષ રાશિ :- નકારાત્મક વિચારો વધે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા લાભ થાય, ભાઈભાંડુ જોડે અણબનાવ બને. વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થાય, વાહન ધીમે ચલાવવું, બિમાર થવાની શક્યતા રહે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, ગૃહસ્થ જીવનમાં અણબનાવ બની શકે, શુભાશુભ દિવસ રહેશે. કર્ક રાશિ :- પાણીથી દૂર રહેવું, પ્રવાસ કરશો, નકારાત્મકતા વધે, ધનખર્ચ થાય, ધાર્મિક કાર્ય કરશો, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- વિદ્યાર્થીઓએ સમજી વિચારીને આગળ વધવું, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય. કન્યા રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા ન મળી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય, ધાર્મિકતા વધશે. તુલા રાશિ :- દૂરનો પ્રવાસ કરશો, પરાક્રમ દ્વારા લાભ મળે, કોઈ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, આંખ સંબંધીત તકલીફ પડી શકે. વૃશ્ચિક રાશિ :- બિમાર થવાની શક્યતા વધારે રહે, ધનખર્ચ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, કાર્યક્ષેત્રમાં સંઘર્ષ કરશો, શુભાશુભ દિવસ રહેશે. મકર રાશિ :- બિમાર થવાની સંભાવના રહે, પેટ સંબંધીત બિમારી થાય, ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો. કુંભ રાશિ :- પેટને લગતી બીમારી થાય, સંતાન સાથે અણબનાવ બની શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- મકાન જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments